PAVAGADH TEMPLE : મહાકાળી માતાનું એક પવિત્ર શક્તિપીઠ, આસ્થાનું પવિત્ર ધામ

Pavagadh Temple : ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ એક પ્રખ્યાત યાત્રાધામ છે. આ સ્થળ 51 શક્તિપીઠોમાંનું એક છે, જ્યાં માતા પાર્વતીના જમણા પગનો અંગુઠો અને આંગળીઓ પડ્યા હતા. આથી જ પાવાગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે ભક્તો માટે અત્યંત પવિત્ર સ્થાન ગણાય છે. આ યાત્રાધામ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પણ પ્રકૃતિ અને ઇતિહાસની દૃષ્ટિએ પણ ખાસ છે.

pavagadh temple

Pavagadh Temple ની પૌરાણિક કથા અને ઈતિહાસ

પૌરાણિક માન્યતા પ્રમાણે, રાજા દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું હતું, પણ તેમણે પોતાની પુત્રી પાર્વતીના પતિ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. આ અપમાનથી દુઃખી થઈને માતા પાર્વતીએ યજ્ઞકુંડમાં કૂદીને પોતાનો દેહ આહુતિમાં આપી દીધો. આ જાણ થતાં ભગવાન શિવ ક્રોધે ભરાયા અને તાંડવ નૃત્ય શરૂ કર્યું. આ નૃત્યમાં તેમણે પાર્વતીના અર્ધભસ્મ થયેલા શરીરનું વિચ્છેદન કર્યું, જેથી માતાના શરીરના અંગો ચારે દિશામાં વિખેરાઈ ગયા. આ અંગો 51 જુદા જુદા સ્થળોએ પડ્યા, જે આજે શક્તિપીઠ તરીકે પૂજાય છે. પાવાગઢ એવું એક સ્થળ છે, જ્યાં માતાના જમણા પગનો અંગુઠો અને આંગળીઓ પડ્યા હતા.

બીજી એક કથા અનુસાર, ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢની તળેટીમાં કઠોર તપ કરીને મહાકાળી માતાને પ્રસન્ન કર્યા હતા. આથી જ વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન પણ પાવાગઢ ગણાય છે.આમ પાવાગઢ ના મહાકાળી માતાજી નો ઈતિહાસ ખુબ પ્રચલિત છે

મહાકાળી માતાજી ના મંદિર સુધીની યાત્રા

પાવાગઢના મહાકાળી મંદિરના દર્શન માટે, ભક્તો પહેલા હાલોલથી માચી સુધી પહોંચે છે. માચીથી આગળ, બે રસ્તા છે: એક રોપવે (ઉડનખટોલા) અને બીજો રેવાપથના પગથિયાં. રોપવે ઝડપી અને આરામદાયક છે, જ્યારે 1800 પગથિયાં ચડવાનો માર્ગ “પગપાળા યાત્રા”નો અલગ જ અનુભવ આપે છે. ઘણા ભક્તો આ પગથિયાં ચડીને માતાના ચરણોમાં પહોંચવાને પોતાની આસ્થાનું પ્રતીક માને છે.

Pavagadh માં ભક્તો માટે સુવિધાઓ

Pavagadh Temple (પાવાગઢ મંદિર) પહોંચવા માટે, ભક્તો બસ, લોકલ વાહનો કે પોતાના વાહનો દ્વારા માચી સુધી જઈ શકે છે. પહાડોના સુંદર, સર્પાકાર ચારમાર્ગીય રસ્તાઓ હવે યાત્રાને સલામત અને સરળ બનાવે છે. પહેલાં એકમાર્ગીય રસ્તાઓને કારણે ભક્તોને ઘણી મુશ્કેલી પડતી હતી, પણ હવે નવા રસ્તાઓએ આ સમસ્યા હલ કરી છે. પગપાળા યાત્રીઓ માટે રસ્તાની બંને બાજુ ફૂટપાથ બન્યા છે, અને વિસામાની જગ્યાએ મફત ચા-નાસ્તાની વ્યવસ્થા પણ છે. આ સુવિધાઓ ભક્તો માટે “આશીર્વાદ સમાન” છે.

રાજ્યના દૂરના જિલ્લાઓમાંથી ભક્તો પગપાળા સંઘોમાં ભજન-કીર્તન સાથે આવે છે. રસ્તામાં પુરાતન દરવાજાઓ અને નવા ભવ્ય દ્વારો ભક્તિનું વાતાવરણ ઊભું કરે છે. કેટલાક ભક્તો પગપાળા યાત્રીઓની સેવા કરીને પણ “દર્શનનો લાભ” મેળવે છે.

પાવાગઢ પર્વત પર શિવાલય અને જૈન મંદિરો

મંદિરમાં પ્રવેશતા પહેલા, સુંદર દ્વારો આવે છે, જ્યાં ભગવાન શિવના વિવિધ રૂપોના દર્શન થાય છે. આ દ્વારો પૌરાણિક શિવલિંગના ઇતિહાસની સાક્ષી આપે છે. સીડીઓ પર ચઢતાં જમણી બાજુ ભૈરવદાદા બિરાજે છે. ભક્તો માને છે કે ભૈરવદાદાના દર્શન વિના માતાના દર્શન અધૂરા રહે છે, આથી તેઓ સૌપ્રથમ ત્યાં શીશ ઝુકાવે છે.

પાવાગઢ પર્વત પર પૌરાણિક શિવાલયો અને જૈન મંદિરો પણ છે, જે ઇતિહાસને જીવંત રાખે છે. આસપાસના દૂધિયા, છાસિયા અને તેલીયા તળાવોનો પણ પોતાનો અનોખો ઇતિહાસ છે.

મહાકાળી માતાજીના દર્શનનું મહત્વ

પર્વતની ટોચ પર માતાજીના મંદિરમાં વચ્ચે સ્વયં પ્રગટ કાલિકા માતા અને પ્રતિષ્ઠિત મહાકાળી માતા બિરાજે છે. જમણી બાજુ લક્ષ્મીજી અને ડાબી બાજુ સરસ્વતીજી બિરાજમાન છે. આ સ્થળ શારદાપીઠ તરીકે પણ ઓળખાય છે, જે બહુચરમાંનો ગોખ કહેવાય છે. દ્વાર પાસે જમણી બાજુ ગણેશજી અને ડાબી બાજુ હનુમાનજી છે.

pavagadh temple

રોજ બપોરે 12 વાગે માતાજીને ભોગ ધરાવવા દ્વાર બંધ થાય છે. મંત્રોચ્ચાર અને ઘંટારવથી પરિસર ગુંજી ઉઠે છે. ભોગ પછી, “માતાજીના જયજયકાર” સાથે દ્વાર ફરી ખુલે છે. મુખ્યદ્વારમાં માતાના ચરણ પાદુકા રાખવામાં આવ્યા છે, જેનું પૂજન અહીં ખૂબ મહત્વ ધરાવે છે.

પાવાગઢમાં નવરાત્રીનું મહત્વ

આસો અને ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.Pavagadh Temple ની યાત્રાએ ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી લાખો ભક્તો આવે છે. ગરબા, ભજનો અને ડીજેના તાલે ભક્તો ભક્તિમાં ડૂબી જાય છે. ઘણા ભક્તો નગારા-શરણાઈ સાથે આવે છે, અને સુખડીનો પ્રસાદ ચડાવે છે, જે શુદ્ધ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બને છે.

Pavagadh Temple : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજારોહણ

લોકવાયકા પ્રમાણે, 500 વર્ષથી મંદિરના શિખર પર ધ્વજારોહણ નહોતું થયું, કારણ કે શિખર ખંડિત હતું. 14 મહિનામાં મંદિરનું નવીનીકરણ થયું, અને નવા શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું. આથી ભક્તોની આસ્થા વધી છે, અને હવે Pavagadh Temple માં લાખોમાંથી કરોડો ભક્તો પરિવાર સાથે દર્શન માટે આવે છે.

ધજા ચડાવતા પહેલા તેને માતાના ચરણોમાં મૂકવામાં આવે છે, અને પૂજનવિધિ પછી શિખર પર લહેરાવાય છે. લહેરાતી ધજાઓ જાણે પવન સાથે ધર્મ-સંસ્કૃતિને દૂર સુધી ફેલાવે છે. ભક્તો સાડી, ઓઢણી અને શ્રીફળ ચડાવી મનોકામના પૂરી કરે છે.

પાવાગઢ ના ઉડન ખટોલા માં થી પ્રકૃતિ નું સૌંદર્ય

રોપવે સવારે 6થી સાંજે 6:45 સુધી ચાલે છે. તેમાંથી દેખાતી મનોરમ્ય પ્રકૃતિ ભક્તોને ભક્તિમાં લીન કરે છે. ઉડનખટોલામાંથી ઉતર્યા પછી વધુ સીડીઓ ચડવી પડે છે, જે વૃદ્ધો માટે મુશ્કેલ છે. આથી લિફ્ટનું કામ પણ ચાલી રહ્યું છે, જેથી વૃદ્ધો પણ સરળતાથી દર્શન કરી શકે.

પાવાગઢ પર જૈન દેરાસરો, મુસ્લિમ ધાર્મિક સ્થળો અને 100થી વધુ હેરિટેજ સ્થળો છે, જે તમામ ધર્મના લોકો અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે. પર્વતની ઊંચાઈ જોતાં શરૂઆતમાં હિંમત ડગે, પણ પગથિયાં ચડતાં અલૌકિક શક્તિનો અનુભવ થાય છે, જે ભક્તોને મંદિર સુધી લઈ જાય છે.

પાવાગઢ રોપવે સેવા (ઉડન ખટોલા)

માચીથી શરૂ થતી રોપવે સવારી દરમિયાન, પ્રવાસીઓ પાવાગઢના ડુંગરોની આસપાસની મનોરમ સુંદરતા અને જંગલોનો આનંદ માણી શકે છે, જ્યારે પાવાગઢ મંદિર તરફ પ્રવાસ કરે છે. રોપવે સેવાએ મહાકાલિકા મંદિર પાવાગઢના “દર્શન”ને એવા લોકો માટે વધુ સરળ બનાવ્યા છે જેઓ આટલી ઊંચાઈ ચઢી શકતા નથી.

રોપવે સવારે 6:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ચાલે છે. છેલ્લી પરત ફરતી કેબલ કાર સાંજે 7:30 વાગ્યે છે.

રોપવે દ્વારા પહોંચવામાં માત્ર લગભગ 6 મિનિટનો સમય લાગે છે. રોપવે સપ્તાહના તમામ દિવસોમાં ઉપલબ્ધ છે.

રોપવે ઓનલાઈન બુકિંગ પ્રક્રિયા

અહીં અમે પાવાગઢ ખાતે ઓનલાઈન રોપવે ટિકિટ બુકિંગની વિગતવાર પગલું-દર-પગલાની સમજૂતી આપી છે, જેથી દરેક ભક્ત સરળતાથી સમજી શકે કે udankhatola.com પર ટિકિટ કેવી રીતે બુક કરવી. નીચે આપેલા પગલાંને અનુસરો.

સૌ પ્રથમ, તમારે ઉડાનખટોલાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની છે. અહીં ક્લિક કરો.
આગલું પગલું એ છે કે તારીખ અને ઉપલબ્ધ સમય સ્લોટ પસંદ કરવાનું. પાવાગઢ રોપવેના સમયપત્રકમાંથી.

તારીખ અને સમય પસંદ કર્યા પછી, તમે ટિકિટ પસંદગી વિન્ડો પર જાઓ છો. આ વિભાગમાં, પાવાગઢ રોપવે ટિકિટની કિંમતો સામાન્ય ટિકિટ અને બાળ ટિકિટ માટે દર્શાવવામાં આવી છે.

સામાન્ય ટિકિટનો દર છે – ₹150

બાળ ટિકિટનો દર છે – ₹80

તમે રોપવે દ્વારા પ્રવાસ કરવા માંગતા લોકોની સંખ્યા અનુસાર ટિકિટની સંખ્યા ઉમેરી અને ઘટાડી શકો છો.

ત્યારબાદ આગળની પ્રક્રિયા માટે NEXT બટન પર ક્લિક કરો.

આ પાવાગઢ રોપવે ટિકિટ બુકિંગ પ્રક્રિયાનું અંતિમ પગલું છે, અહીં જરૂરી વિગતો ભર્યા બાદ PROCEED TO PAY બટન પર ક્લિક કરો અને તમારું પાવાગઢ રોપવે ટિકિટ બુકિંગ પૂર્ણ કરો. સફળ ચુકવણી પછી, તમારું બુકિંગ કન્ફર્મ થઈ જશે. તમને તમારું કન્ફર્મેશન વાઉચર મળી જશે.

પાવાગઢથી સ્થળો નું અંતર

નામઅંતર
વડોદરા54 કિમી
કેવડિયા102 કિમી
અમદાવાદ152 કિમી
ગાંધીનગર174 કિમી
સુરત211 કિમી
કુબેર ભંડારી79 કિમી
ભરૂચ131 કિમી

Jain Dharamshala In Pavagadh : પાવાગઢમાં જૈન ધર્મશાળા

1) પાવાગઢ દિગંબર જૈન ધર્મશાળા

પાવાગઢમાં જૈન સમાજનાં કુલ 11 મંદિરો છે, જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો દર્શન માટે આવે છે. જો તમે બસમાંથી આવ્યા હો, તો બસ સ્ટેન્ડથી થોડે આગળ લગભગ 500 મીટરના અંતરે તમને દિગંબર જૈન સમાજ દ્વારા સંચાલિત દિગંબર જૈન ધર્મશાળા મળી જશે. અહીં તમને સસ્તા ભાવે એસી રૂમ સાથે જોડાયેલ બાથરૂમની સુવિધા મળી જશે. અહીં તમને ₹200 થી ₹600 સુધીના ભાવમાં સારા અને સ્વચ્છ રૂમ સરળતાથી મળી જશે. ભોજન માટે અહીં નજીકમાં જ ભોજનાલય પણ બનાવેલું છે. આ આખું પરિસર ઘણા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં તમને કાર પાર્કિંગની સુવિધા પણ ખૂબ સારી મળી જશે.

2) પાવાગઢ શ્વેતાંબર જૈન મંદિર

શ્વેતાંબર જૈન સમાજ દ્વારા સંચાલિત આ ધર્મશાળામાં તમને રહેવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં તમને વાતાનુકૂલિત રૂમ સસ્તા ભાવે મળી જશે. ભોજન માટે ધર્મશાળામાં જ ભોજનશાળા વિસ્તાર સંચાલિત કરવામાં આવે છે, જ્યાં તમને સાત્વિક જૈન ભોજન મળી જશે. આખી ધર્મશાળા તમને વીઆઈપી સુવિધાઓ પૂરી પાડે છે, અહીં બાથરૂમમાં નહાવા માટે ગીઝર પણ લગાવેલું છે, આખા પરિસરમાં સીસીટીવી કેમેરા હોવા ઉપરાંત મુખ્ય દ્વાર પર સુરક્ષા ગાર્ડની પણ તૈનાતી કરવામાં આવી છે.

વધુ વિગતો માટે તમે Just Dial ની ઓફિસિયલ વેબસાઇટે પર ચેક કરી શકો છો

Pavagadh Temple(મંદિર) ના મહાકાળી માતાજી પરભક્તોની આસ્થા

વિવિધ સમાજની કુળદેવી મહાકાળી ભક્તોની મનોકામના પૂરી કરે છે. કરોડો ભક્તો પાવાગઢ આવી નવી શક્તિનો સંચાર અનુભવે છે. કેટલાક ભક્તો માતાના વેશમાં આવે છે, તો પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ પણ ખૂબ આસ્થા સાથે દર્શન કરે છે. સતત ભક્તોના ધસારાને ધ્યાને લઈ, મંદિર પરિસરમાં દિવસભર સુખડીનો પ્રસાદ બનતો રહે છે.

Author

  • Ravi Vasava

    નમસ્કાર, મારુ નામ રવિ વસાવા છે. હું Charotarview.com નો ફાઉન્ડર છું અને ગુજરાત ને લગતા સમાચાર તેમજ અન્ય ટેક્નોલોજી,ઑટોમોબાઇલ,એન્ટરટેન્મેન્ટ,ટ્રાવેલ ને લગતા સમાચાર તેમજ વેબસ્ટોરી પબ્લિશ કરું છું.

    View all posts

Leave a Reply

KKR IPL 2025 Schedule In Gujarati CSK IPL 2025 Schedule in Gujarati RCB IPL 2025 Schedule In Gujarati Chhaava Movie Collection : 100 કરોડ ક્લબમાં એન્ટ્રી Sanam Teri Kasam: પબ્લિક ની ડિમાન્ડ પર ફરી એક વાર થીએટર માં